Ghanshyam Maharaj Darshan 3
ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે, અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ, અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહ્યાનું ધામ છે, એવા દિવ્યમૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે માયાથકી જીવોને સૃજીને તેને બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, પ્રાણ તે આપે છે. (પં. ૧)