Ghanshyam Maharaj Darshan 3
જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે ને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થાશે. (પ્ર. ૬૮)