
Ghanshyam Maharaj Darshan 3
જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઈએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય, તે પાકો સત્સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહિ, અને અમારી તો એ જ પ્રકૃતિ છે, જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ હેત થાય છે. (પ્ર. ૭૬)