Ghanshyam Maharaj Darshan 3
આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે ને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થાશે, ને જો મુંને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થાશે. એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. (છે. ૨૬)