Ghanshyam Maharaj Darshan 3
જેને આ દેહે કરીને પરમ સુખિયા થાવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થાવું હોય તેને ભગવાનના ભક્તનો મને-વચને-દેહે કરીને દ્રોહ ન કરવો, અને જે ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત્ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. (મ. ૪૦)