Ghanshyam Maharaj Darshan 3
જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે તે આ સત્સંગને વિષે શોભવા દેતાં નથી. તેમાં એક તો કામના નેબીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ, એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેને તો અમારે અતિશે અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ, શા માટે જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. (છે. ૧૯)