Ghanshyam Maharaj Darshan 3
જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે, મેં અતિ મોટું પાપ કર્યું જે બ્રહ્મરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશે દાઝ હૈયામાં થાય તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રીને વિષે નિદ્રા પણ આવે નહિ અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશે ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુઃખાણા હોય તો તેને અતિ દીન થઇને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય પણ એ વિના બીજો કોઈ એવો ઉપાય નથી કહ્યો; એ જ એક ઉપાય છે. (લો. ૧)