Ghanshyam Maharaj Darshan 3
જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા, તો તે તત્કાળ પરમહંસ થાય, એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે પરમહંસમાં મોટેરો જાણવો. (મ. ૬૧)