Ghanshyam Maharaj Darshan 3
પંચે ઇન્દ્રિયોને યોગ્ય - અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે, તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચે ઇન્દ્રિયોના આહારમાંથી એકે ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેવું કારણ તે પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. (પ્ર. ૧૮)