Ghanshyam Maharaj Darshan 3
જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે ને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે, માટે કોઈ ગમે તેવાં શાસ્ત્ર વાંચતાં હોય ને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. (પ્ર. ૬૬)