
Ghanshyam Maharaj Darshan 3
મુને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે, તે કુરાજી થાશે તો મોટી ખોટ આવશે, એમ જાણીને કામ વાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું, ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તેનો ત્યાગ કરવો ને ભગવાન ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું. ને દેહને વિષે અહંબુદ્ધિ હોય તો તેને ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું. (અ. ૫)