
Ghanshyam Maharaj Darshan 3
જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી, એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે. ને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ, કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતનાં ભગવાનનાં ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બહાર હોય જ નહિ, માટે જેને શાસ્ત્રનાં વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે ને કલ્યાણ પણ તેનું જ થાય છે. (સા. ૧૩)