Ghanshyam Maharaj Darshan 3
સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે, અને સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે, ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, ને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થાતો જાય, ને અતિશે મોટ્યપને પામી જાય છે. (પ્ર. ૨૮)