Ghanshyam Maharaj Darshan 3
સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે ને એ સ્ત્રીથી ઊપજી જે પ્રજા તેમાં પણ સહેજે હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે. ને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. (પ્ર. ૩૪)