Ghanshyam Maharaj Darshan 3
પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે પણ ભગવાનની મૂર્તિઓને વિષે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે શત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી શત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહિ. (લો. ૧૧)