Ghanshyam Maharaj Darshan 3
મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દૃઢ કરીને રાખવી જે હું આત્મા છું પણ દેહ તે હું નહિ એક તો એ વિચાર દૃઢ કરવો, અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી, અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશેપણે સમજવું, તે એમ વિચારવું જે, પંચવિષય છે તે તો ભગવાનના કર્યા થાય છે માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. (મ. ૧)