
Ghanshyam Maharaj Darshan 3
શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું. અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે આ રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શિખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું, એમ ત્રણે વાનાએ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણ જિતાય છે. (લો. ૫)