
Ghanshyam Maharaj Darshan 3
જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિષે જે જાત્યનો દોષ કલ્પે છે તે પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશે નિર્દોષ સમજે, તો પોતે પણ અતિશે નિર્દોષ થઈ જાય છે. (પ્ર. ૨૪)