
Ghanshyam Maharaj Darshan 3
માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશે ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષ્યા ને ક્રોધ ઊપજે છે. માટે માન મોટો દોષ છે. ને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો, કેમ જે આપણા સત્સંગમાં ગૃહસ્થ હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, માટે એ માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશે અભાવ રહે છે, ને અમારાં જે જે વચન લખેલાં હશે તેમાં પણ એમ જ હશે તે વિચારીને જુએ તો જણાઈ આવશે, માટે ભગવાનનું માહાત્મ્ય સમજીને માનને ટાળવું. (છે. ૨૭)