
Ghanshyam Maharaj Darshan 3
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થાવું. અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનના મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ એ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. (વ. ૧૦)