Ghanshyam Maharaj Darshan 3
પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોંટી ગઈ હોય પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લેઈને ચોળે તો જુદી થઈ જાય તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે ને તે વિના બીજા કોટી ઉપાય કરે તો ય કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થાતો નથી. (કા. ૧૨)