Ghanshyam Maharaj Darshan 3
ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ-મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી, ને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી, અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાનના જેવો જ છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે, ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. (છે. ૩૭)